Showing posts with label આંતરરાષ્ટ્રીય પ્રવાહો. Show all posts
Showing posts with label આંતરરાષ્ટ્રીય પ્રવાહો. Show all posts

15 December, 2017

ઝિમ્બાબ્વેમાં મુગાબેના પતન માટે ચીનના 'ગોરખધંધા' જવાબદાર


ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેના ૩૭ વર્ષના લોહિયાળ શાસનનો આખરે અંત આવ્યો એ સ્વાભાવિક રીતે જ ભારત માટે મોટા સમાચાર ન હતા. પરંતુ 'મુગાબેના પતન પાછળ ચીન જવાબદાર છે' એવા અહેવાલો આવતા જ ભારત સહિત દુનિયાભરના દેશોએ ઝિમ્બાબ્વેની રાજકીય સ્થિતિનું માઈક્રો સ્કેનિંગ શરૂ કરી દીધું. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા 'રોયટરે' કેટલાક પુરાવા અને તથ્યોના આધારે અહેવાલ આપ્યો છે કે, ઝિમ્બાબ્વેમાં બળવો કરીને મુગાબેની સત્તા ઉથલાવી દેવાનું કાવતરું આફ્રિકાથી હજારો કિલોમીટર દૂર ચીનમાં ઘડાયું હતું. આ સમાચાર પછી અમેરિકા સહિતની વૈશ્વિક સત્તાઓના પણ એન્ટેના ઊંચા થઈ ગયા. અમેરિકા અને યુરોપના અનેક દેશોને આફ્રિકામાં 'બિઝનેસ' કરીને બધું જ લૂંટી લેવું છે, પરંતુ હવે ચીન અને રશિયા જેવો દેશો સ્પર્ધામાં છે. ઝિમ્બાબ્વેની વાત છે તો આ બિઝનેસ વૉરમાં ચીનની જીત થઈ છે.

સેનાને વિશ્વાસમાં લઈ સત્તા પરિવર્તન

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેનું શાસન ઉથલાવી દઇ નવી સરકારની રચના કરવામાં ઝિમ્બાબ્વેની સેનાના વડા કોન્સ્ટેન્ટિનો ચિવેન્ગાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ચિવેન્ગા સારી રીતે જાણતા હતા કે, મુગાબેને હટાવવા ચીનની મદદ લેવી જરૂરી છે કારણ કે, ઝિમ્બાબ્વેમાં સૌથી વધુ રોકાણ કરનારો દેશ ચીન છે. ચીનની મદદ વિના ઝિમ્બાબ્વેમાં સત્તા પરિવર્તન થાત તો ફરી એકવાર લોહિયાળ સંઘર્ષ ફાટી નીકળવાની શક્યતા હતી. આ સ્થિતિમાં દુનિયાના બીજા દેશોની નજર (વાંચો અમેરિકા) પણ ઝિમ્બાબ્વે પર જાય અને તેઓ પણ દખલગીરી કરે. ચીન જેવા દેશને તો દખલગીરી પોસાય જ કેવી રીતે? એટલે ચીને ઝિમ્બાબ્વેની સેનાની મદદથી જ ચૂપચાપ બળવો કરાવ્યો અને નવા પ્રેસિડેન્ટ તરીકે ઇમર્સન મનગાગ્વાની નિમણૂક પણ કરી દીધી.

ઝિમ્બાબ્વેની સેનાના વડા ચિવેન્ગા ચીનના સંરક્ષણ મંત્રી ચેંગ વાંકુઆન

હવે સમાચાર છે કે, ઝિમ્બાબ્વેના નવા પ્રેસિડેન્ટે તેમની કેબિનેટમાં સેનાના ઉચ્ચ અધિકારીઓને પણ મહત્ત્વના કામ સોંપ્યા છે. કહેવાની જરૂર નથી કે, નવા પ્રેસિડેન્ટ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ ચીનની જ કઠપૂતળીઓ છે. આ બળવા પછી ચિવેન્ગાએ કોઈ સીધા લાભ લીધા નથી, પરંતુ ઝિમ્બાબ્વેની અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, મુગાબેને હટાવીને કરાયેલું સત્તા પરિવર્તન કાયદેસરનું જ છે.

મુગાબેને સ્વદેશી વિચારધારા ભારે પડી

મુગાબેને તો ચીન સાથે વર્ષો જૂની મિત્રતા હતી અને એટલે જ ચીન ઝિમ્બાબ્વેમાં કરોડો ડૉલરનું રોકાણ કરી શક્યું હતું. તો પછી ચીનને અચાનક શું વાંધો પડ્યો?

વાત એમ છે કે, ચીન માટે મુગાબે 'જવાબદારી' બની ગયા હતા. (ચીન માટે ઉ. કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ પણ એ જ રસ્તે છે) મુગાબેએ ચીનને ઝિમ્બાબ્વેમાં બિઝનેસ કરવાની લાલ જાજમ બિછાવી હતી, પરંતુ મુગાબેની સ્વદેશી વિચારધારાથી ચીનને નુકસાન થઈ રહ્યું હતું. ઝિમ્બાબ્વેમાં કેટલાક કાયદા એવા છે, જે સ્થાનિક બિઝનેસને વિદેશોના ભોગે વધુ પ્રોત્સાહન આપે છે. ચીનને એ કાયદા પસંદ ન હતા. આ કાયદાના કારણે ઝિમ્બાબ્વેમાં બિઝનેસ કરતી વિદેશી કંપનીઓનો કાબૂ મૂળ ઝિમ્બાબ્વેના નાગરિકો પાસે રહે છે. આ કાયદા સામે ચીનને પણ વાંધો હતો.

ડિસેમ્બર ૨૦૧૫માં ચીની પ્રમુખ જિંગપિંગે ઝિમ્બાબ્વેની
મુલાકાત લીધી ત્યારે પ્રમુખ રોબર્ટ મુગાબે સાથે 

ઝિમ્બાબ્વેમાં પ્રેસિડેન્ટ તરીકે મનગાગ્વાની નિમણૂક થતાં જ ચીનની થિંક ટેંક 'ચાઇનીઝ એકેડેમી ઓફ સોશિયલ સાયન્સ'એ સત્તાવાર નિવેદન કર્યું હતું કે, અમને આશા છે કે નવા પ્રેસિડેન્ટ જૂના સ્વદેશી કાયદાને મર્યાદિત કરશે અથવા નાબૂદ કરી દેશે.

૨૧મી સદીમાં બિઝનેસ એજ સર્વસ્વ

મોટા દેશો નાના દેશોમાં સતત દખલગીરી કરે એ ઈતિહાસ બહુ જૂનો છે. અમેરિકા, ચીન અને ભારત પણ તેમાંથી બાકાત નથી. વર્ષ ૧૯૫૪માં ભારત અને ચીને પંચશીલના કરારો કર્યા હતા, જે પ્રમાણે બંને દેશે એકબીજાની આંતરિક બાબતોમાં દખલીગીરી નહીં કરવા સહમતિ દાખવી હતી. આ કરારો કર્યાના એક વર્ષ પછી ચીનના તત્કાલીન વડાપ્રધાન ઝોઉ એનલાઇએ પંચશીલના કરારોના આધારે એશિયા અને આફ્રિકાના દેશો સાથે મજબૂત સંબંધો બનાવવાની શરૂઆત કરી. એ વખતે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના અધ્યક્ષ માઓ ઝેદોંગ ઉર્ફે માઓ ત્સે તુંગ હતા. આ બંને નેતાઓને પંચશીલના સિદ્ધાંતો સાથે ઝાઝી લેવાદેવા ન હતી. એ વર્ષોમાં દુનિયાના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારા ફેલાવવાનું આંદોલન ચાલી રહ્યું હતું. એટલે ચીને પંચશીલના સિદ્ધાંતોની ઐસીતૈસી કરીને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો સહિત ભારતમાં પણ સામ્યવાદી આંદોલનને ટેકો આપ્યો. આ રીતે બહારથી ટેકો આપવાથી ચીનને બીજા દેશો સામે ફક્ત વ્યૂહાત્મક ફાયદો મળતો, આર્થિક લાભ નહીં.

વર્ષ ૧૯૫૪માં ચીનના પેકિંગ સ્થિત રાજ દૂતાવાસમાં
માઓ ઝેદોંગ સાથે જવાહરલાલ નહેરુ 

ઝેદોંગ યુગમાં પણ ચીન ફક્ત એજ દેશોમાં સામ્યવાદી વિચારધારા ફેલાવવામાં સફળ થયું, જેમની સાથે તેને મિત્રતા હતી. જે દેશો સાથે ચીનને ખાટા સંબંધ હતા ત્યાંની આંતરિક બાબતોમાં માથું મારવું ચીન માટે અઘરું હતું કારણ કે, કોઈ પણ વિચારધારા ફેલાવવા માટે જે મૂડી જોઈએ એ 'સામ્યવાદીઓ' પાસે ક્યાંથી હોય! આ એ વખતના સામ્યવાદીઓની વાત છે. એ જમાનો સામ્યવાદના 'રોમેન્ટિઝમ'માં રાચવાનો હતો, પરંતુ આ ૨૧મી સદી છે. દુનિયામાં મૂડીવાદની બોલબાલા છે. હવે બીજા દેશોમાં આંદોલન કે બળવો વ્યૂહાત્મક લાભ લેવા નહીં પણ 'બિઝનેસ' કરવા થાય છે.

મેક ઇન ચાઇના અભિયાનની શરૂઆત

ચીન પણ હવે પૈસાના જોરે સત્તા પરિવર્તન કરાવી શકે છે અને ઝિમ્બાબ્વે તેનું જ તાજું ઉદાહરણ છે. ચીનમાં જ સામ્યવાદ, મૂડીવાદ અને સમાજવાદના મિશ્રણ જેવું મોડેલ અસ્તિત્વમાં આવ્યું છે એટલે તેઓને બીજા દેશમાં રાજકીય સ્તરે સામ્યવાદી વિચારધારા ફેલાવવામાં ક્યાંથી રસ હોય? ઝેદોંગ યુગ પછી ચીનમાં કેટલાક દાયકાઓ સુધી એવા નેતાઓએ શાસન કર્યું, જેમણે વિશ્વ સાથે બહુ ઓછો સંપર્ક રાખ્યો અને ચીનમાં શું થઈ રહ્યું છે- એ વિશ્વને ખ્યાલ ના આવે એ રીતે ચીનની અંદર ક્રાંતિકારી પરિવર્તનો લાવવાનો પ્રયાસ કર્યો. એ યુગમાં ચીનના કુદરતી સ્રોતોનો પણ મહત્તમ ઉપયોગ થયો. આ દરમિયાન ચીને વિદેશોમાં થતાં (અને કરાવાતા) આંદોલનો-બળવા પર ધ્યાન આપવાનું સંપૂર્ણ બંધ કરી દીધું, જેના લાભ ચીનને જ મળ્યા.

આજે આઈફોન જેવા સ્માર્ટફોનનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે

ચીનના નેતાઓ દેશમાં પરિવર્તન લાવવા ક્રાંતિકારી સુધારા કરતા ચીનની આર્થિક સ્થિતિ મજબૂત થવાની શરૂઆત થઈ. ચીને 'મેક ઇન ચાઇના' અભિયાન શરૂ કર્યું. એ માટે ચીની ઉત્પાદકોને સતત વીજળી, કાચો માલ અને આંતરરાષ્ટ્રીય બજારની જરૂર હતી. આ સ્થિતિમાં રાજકારણીઓ, કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો અને લશ્કરી અધિકારીઓ સાથે ચીની કોર્પોરેટ્સની એક મજબૂત ધરી રચાઈ. જે ચીન છ-સાત દાયકા પહેલાં નાના દેશોમાં સામ્યવાદનો ફેલાવો કરી વ્યૂહાત્મક લાભ ખાટવાના પ્રયાસ કરતું, એ ચીન  હવે કોર્પોરેટ્સની મદદથી બીજા દેશોમાં બિઝનેસ માટે સત્તા પરિવર્તન કરાવે છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં ચીની કંપનીઓએ આફ્રિકન દેશોમાં કરોડોની સંપત્તિ ખરીદી છે અને ત્યાં ચીની નાગરિકો કામ પણ કરે છે. આફ્રિકાના અનેક આપખુદ અને શંકાશીલ નેતાઓને ડૉલર કરતા ચીનનો યુઆન વ્હાલો છે કારણ કે, પશ્ચિમી દેશોને રોકાણના બદલામાં રાજકીય અને આર્થિક સ્તરે ઉદારીકરણ જોઈએ છે. એ માટે આફ્રિકન નેતાઓ તૈયાર નથી એટલે ચીન ફાવી ગયું છે. માનવાધિકાર જેવી પાયાની બાબતોથી લઈને પારદર્શક વહીવટમાં પશ્ચિમી કંપનીઓનો ટ્રેક રેકોર્ડ સારો છે, તેઓને યુએનની થોડી ઘણીયે શરમ છે, પરંતુ ચીનને બિઝનેસ સિવાય કંઈ પડી નથી.

આફ્રિકાના નાના દેશોના નેતાઓનું હોર્સ ટ્રેડિંગ

આ પ્રકારના ગોરખધંધાની અસર ચીનની વિદેશનીતિ પર પણ પડે છે. યુએનમાં આફ્રિકન દેશોના કોઈ સરમુખ્યાર સામે ખરડો પસાર કરાય ત્યારે ચીન વિટોનો ઉપયોગ કરે છે અને અમેરિકા જેવા દેશોએ મ્હોં વકાસીને ઊભા રહી જાય છે. ઝિમ્બાબ્વે, ઇથોપિયા, બુરુન્ડી, નાઇજિરિયા, ઘાના, ટાન્ઝાનિયા, મોઝામ્બિક, કેન્યા, રવાન્ડા, ગેબન, ટયુનિશિયા, સિએરા લિયોન અને કોંગો જેવા દેશોના નેતાઓ પણ ચીનની તરફેણમાં મતદાન કરે છે અને ચીન પાસેથી 'ઇનામ' લઈ લે છે. આ નાના-પછાત આફ્રિકન દેશોના નેતાઓને ખબર પણ નથી હોતી કે, તેઓ કયા ખરડા વિરુદ્ધ મતદાન કરીને ચીનને સાથ આપી રહ્યા છે. આ અનેક દેશોમાં સિવિલ વૉર ચાલુ રાખવા ચીન શસ્ત્રો પણ પહોંચાડે છે. જેમ કે સુદાન.


વર્ષ ૨૦૦૨માં ચીની પ્રમુખ જિઆંગ ઝેમિન
લીબિયાના સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફી સાથે 

લીબિયામાં પણ ચીને મુઅમ્મર ગદ્દાફીને સાથ આપ્યો હતો, જેની દુનિયાભરમાં ટીકા થઈ હતી. સીરિયામાં પણ ચીન બશર અલ-અસદને સાથ આપી રહ્યું છે. બિલકુલ રશિયાની જેમ. ટૂંકમાં ચીન આફ્રિકાના 'સરમુખત્યાર' નેતાઓની સેવા કરીને મેવા ખાઈ રહ્યું છે. અમેરિકા અને તેના મિત્ર દેશો પણ બીજા દેશોમાં દખલગીરી કરીને ભાગ્યેજ કશું સારું કરે છે. ઈરાક અને લીબિયા તેના ઉત્તમ ઉદાહરણ છે. આ જ માર્ગે ચીની ડ્રેગન આગળ વધી રહ્યો છે.

મહાસત્તાઓને દખલગીરી ભારે પડી છે

એંશીના દાયકામાં મુગાબેએ ઝિમ્બાબ્વેનું વડાપ્રધાનપદ સંભાળતા પહેલાં ગોરા લોકોની લઘુમતી સામે આક્રમક 'મુક્તિ સંઘર્ષ' ખેલ્યો હતો. એ આંદોલનમાં પણ ચીને મુગાબેને પૂરેપૂરો સાથ આપ્યો હતો. જુલમી શાસકોને સાથ આપવામાં આર્થિક લાભ થતો હોય તો ચીન બીજું કશું વિચારતું નથી. જરૂર પડે ત્યાં ચીન સત્તાધારી પક્ષોના વિરોધીઓ સાથે પણ સાંઠગાંઠ કરે છે. થોડા સમય પહેલાં ચીને નેપાળમાં ભારતની કઠપૂતળી સરકાર સામે અવાજ ઉઠાવતા વિપક્ષોનું જોડાણ મજબૂત કરવા દલાલી કરી હતી. એનું કારણ પણ રસપ્રદ છે. એવું કહેવાય છે કે, ભારતે નેપાળમાં વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકાર ઉથલાવીને પુષ્પ કમલ દહલ (પ્રચંડ)ને વડાપ્રધાન બનાવ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે, નેપાળની પ્રચંડ સરકાર ભારત તરફ ઘણું કૂણું વલણ ધરાવે છે. આ જ કારણથી ચીનને પણ શંકા છે કે, ભારતે જ નેપાળમાં ઓલીને ઉથલાવીને પ્રચંડને વડાપ્રધાન બનાવ્યા છે.   

ચીન નૈતિકતાને નેવે મૂકીને ફક્ત 'બિઝનેસ ઇન્ટરેસ્ટ' પર ધ્યાન કેન્દ્રિત કરીને વિદેશ નીતિ નક્કી કરી રહ્યું છે અને ભારત પણ એ જ માર્ગે છે. આ પ્રકારની વિદેશ નીતિમાં સામેના દેશ કરતા થોડો વધારે ફાયદો થઈ જાય તો ભારત કે ચીનને સ્થાનિક મીડિયામાં સારું એવું કવરેજ પણ મળે છે, જેનો સીધો ફાયદો જે તે દેશના રાજકારણીઓ ઉઠાવે છે. 


માર્ચ ૨૦૧૭માં નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલે બેજિંગની
મુલાકાત લીધી ત્યારે ચીની પ્રમુખ જિનપિંગ સાથે 

પ્રજા પણ મનલુભાવન અખબારી અહેવાલો જોઈને વિચારે છે કે, મેરા દેશ મજબૂત હો રહા હૈ, આગે બઢ રહા હૈ ઓર વિકાસ હો રહા હૈ... જો રોકડિયા પાકોની ખેતી કરીને ઓછી મહેનતે વધારે 'ધંધો' મળતો હોય તો મહેનત કોણ કરેકંઈક આવું જ વિચારીને રાજકારણીઓ આવું લોલીપોપ રાજકારણ છોડતા નથી અને અમેરિકા-ચીન જેવા દેશોના કારણે આ દુષચક્ર ચાલ્યા જ કરે છે. 

***

વિશ્વની જુદી જુદી થિંક ટેન્કે કરેલા અભ્યાસ પ્રમાણે, અમેરિકાએ ૧૯૪૬થી ૨૦૦૦ વચ્ચે બીજા દેશોમાં સત્તા પરિવર્તન અને તોડફોડ કરવા સરેરાશ ૮૦ પ્રયાસ કર્યા હતા, જ્યારે રશિયાએ ૩૬ વાર. હવે અમેરિકા તેના જ કર્મોના ફળ ભોગવી રહ્યું છે. રશિયાએ પણ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને ફાયદો થાય એ રીતે હિલેરીને બદનામ કરવા જેવા ઘણાં બધા કામ કર્યા હતા. મહાસત્તાઓએ કરેલી દખલગીરીની આખી દુનિયાએ કિંમત ચૂકવવી પડે છે. અફઘાનિસ્તાનમાં રશિયાને હંફાવીને (કહેવાતા) વ્યૂહાત્મક લાભ લેવાના બહાને અમેરિકાએ જ તાલિબાનોને ઊભા કર્યા હતા એય ઇતિહાસ જાણીતો છે. અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટના આતંકનો ભોગ એકલું અમેરિકા નહીં, આપણે પણ બન્યા છીએ.

સુપરપાવર બનવાના ખ્વાબ જોતા ચીને ઇતિહાસ યાદ રાખવો જોઈએ કે કૂટનીતિને ધ્યાનમાં રાખીને કરેલા કુનીતિથી કોઈનો ઉદ્ધાર થયો નથી, પરંતુ આશાવાદીઓ ઈતિહાસની હંમેશા અવગણના કરતા હોય છે!

22 May, 2017

સિલ્ક રૂટઃ ૨૧મી સદીનું ચાઇનીઝ સપનું


ભારત હજુયે ગાયનું પૂંછડું પકડીને જલ્લીકટ્ટુના આખલાની જેમ વિકાસદોડ લગાવવાનું સપનું જોઈ રહ્યું છે, જ્યારે ચીન બે હજાર વર્ષ જૂનો સિલ્ક રૂ સજીવન કરીને સુપરપાવર બનવા તરફ આગળ વધી રહ્યું છે. વિવાદો અને મુશ્કેલીઓ તો દરેક દેશમાં હતી અને છે, પરંતુ તેનો ઉકેલ તેઓ કેવી રીતે લાવે છે એના આધારે દેશ-સમાજ મહાન બનતા હોય છે. ચીન ૫૦૦ અબજ ડૉલરના ખર્ચે 'વન બેલ્ટ, વન રોડ' નામની યોજના હેઠળ ' સિલ્ક રોડ ઇકોનોમિક બેલ્ટ એન્ડ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી મેરીટાઈમ સિલ્ક રોડ' તૈયાર કરી રહ્યું છે. આશરે બે હજાર વર્ષ જૂનો જમીન અને દરિયાઈ સિલ્ક રૂ પુનઃજીવિત કરીને તગડો અને ઝડપી નફો કરવાનું સપનું સાહસિક પ્રજાના વારસદારો જોઈ શકે! ઈસ. પૂર્વે ૨૦૬થી આશરે ૪૦૦ વર્ષ સુધી ચીનમાં શાસન કરનારા હાન વંશના રાજાઓએ વેપાર કરવા અરેબિયા, આફ્રિકા, યુરોપ સુધી જમીન અને દરિયાઈ માર્ગો શોધવાનું સપનું જોયું હતું. સપનું તેમણે શૂરવીર સેનાપતિઓ અને છપ્પનની છાતી ધરાવતા પ્રવાસીઓની મદદથી હકીકતમાં પલટ્યું હતું.

ઈસ. પૂર્વે ૧૫૬માં થઈ ગયેલા હાન વંશના રાજા વુએ ચાઈનીઝ પ્રદેશની બહારના સામ્રાજ્યોની માહિતી મેળવવાની અને તેમની સાથે ધંધો-વેપાર તકો શોધવાની જવાબદારી ઝાન કિઆન નામના અધિકારીને સોંપી હતી. આદેશ મળતા હાન સામ્રાજ્યમાં ઉચ્ચ હોદ્દો ભોગવતા ઝાન કિઆને બીજા અધિકારીઓને હુકમ  કરવાના બદલે પોતે બહાદુર સૈનિકોની ટુકડી તૈયાર કરીને દરિયો, જંગલો અને ડુંગરો ખૂંદીને નવા રસ્તા શોધવા નીકળી ડ્યો હતો. મિશન હેઠળ તેણે સળંગ ૨૫ વર્ષ જમીન અને દરિયાઇ માર્ગે રઝળપાટ કરીને આજના કિર્ગિસ્તાન, કઝાકસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક, ઈરાન, આફ્રિકા અને યુરોપિયન વિસ્તારોની માહિતી ભેગી કરી હતી. ઝાન કિઆને આ તમામ દેશોની માહિતી આપતા વિસ્તૃત અહેવાલો રાજા વુને મોકલ્યા હતા. આ અહેવાલોમાં તેણે કયા વિસ્તારમાં કોનું રાજ છે?, તેમની સેના અને શસ્ત્રો કેવા છે?, જે તે દેશના લોકોનો શારીરિક દેખાવ કેવો છે?, તેઓ ખેતી કેવી રીતે કરે છે? તેમજ તેઓ કેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે? વગેરે સવાલોના જવાબ આપ્યા હતા.

બે હજાર વર્ષ પહેલાં ઝાન કિઆને શોધેલો પ્રાચીન સિલ્ક રૂટ

આ તમામ દેશોમાં લઈ જતા રસ્તા શોધવામાં ઝાન કિઆને લૂંટફાટ કરતી જાતિઓ, કુદરતી આફતો, ભૌગોલિક સ્થિતિ અને અને મનોબળ તોડી નાંખતા વિપરિત હવામાનનો સામનો પણ કરવો પડ્યો. જોકે, આ તમામ મુશ્કેલીઓનો ઝાન કિઆને હોંશિયારીથી માર્ગ કાઢ્યો કારણ કે, તે વિચક્ષણ બુદ્ધિમતા, ઠંડી તાકાત અને બાવડામાં અખૂટ તાકાત ધરાવતો યોદ્ધો તેમજ મગજ ચકારાવે ચડાવી દે એવા વ્યૂહ ઘડી શકનારો સેનાપતિ પણ હતો. તેણે કેટલાક વિસ્તારોની જાતમુલાકાત લીધી, તો કેટલાક સ્થળે વફાદાર અને આજ્ઞાંકિત સાથીદારોને મોકલીને સચોટ માહિતી ભેગી કરી. રસપ્રદ વાત છે કે, ઝાન કિઆનના મૃત્યુના આશરે ૧૦૦ વર્ષ પછી થઈ ગયેલા ચાઇનીઝ ઇતિહાસકાર સીમા કિઆને 'રેકોર્ડ્સ ઓફ ગ્રાન્ડ હિસ્ટોરિયન' નામના ગ્રંથમાં પ્રવાસની રજેરજની વિગતો નોંધી છે. ગ્રંથ પ્રમાણે, ઝાન કિઆને તેના સાથીદારોની મદદથી ભારતની માહિતી આપતા અહેવાલમાં લખ્યું છે કે, ગ્રેકો બેક્ટ્રિયન સામ્રાજ્યની દક્ષિણ પૂર્વે શેંડુ સામ્રાજ્ય આવેલું હોવાનું મને જાણવા મળ્યું છે. લોકો પણ ખેતી કરે છે. ત્યાંનું વાતાવરણ ગરમ અને ભેજવાળું છે. લોકો યુદ્ધમાં જાય ત્યારે હાથીઓનો ઉપયોગ કરે છે. સામ્રાજ્ય શેંડુ નદીના કિનારે આવેલું છે...

તમને ખ્યાલ આવી ગયો હશે કે, ઝાંગ કિઆન 'શેંડુ' એટલે કે સિંધુ સંસ્કૃતિની વાત કરી રહ્યો છે. ગ્રેકો બેક્ટ્રિયન સામ્રાજ્ય એટલે આજનું ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. અહીં ગ્રેકો એટલે ગ્રીકો અને બેક્ટ્રિયન એટલે ઈરાનના લોકોનું સામ્રાજ્ય હતું. ઝાન કિઆનના મિશન થકી ચીનને ઘોડાને ખવડાવવાના રજકોના બીજ, મજબૂત ખરી ધરાવતા ઘોડા, ભારતીય સંગીત અને જ્યોતિષ શાસ્ત્ર, આયુર્વેદિક દવાઓ, જાતભાતના રોગોમાં અકસીર વનસ્પતિઓ, મસાલા, બૌદ્ધ જ્ઞાન, ઇસ્લામિક વિચાર તેમજ માર્શલ આર્ટ જેવી વિદ્યાનો પરિચય થયો. એવી રીતે, ચીને ભારત, આફ્રિકા અને યુરોપને કાગળ, ચાઈનીઝ ચા, ગન પાવડર, હોકા યંત્ર, ચિનાઇ માટીના વાસણો તેમજ તાઓ અને કોન્ફ્યુશિયસના વિચારોની ભેટ આપી

કેરળમાં સદીઓથી એક બાજુ લાકડાનો સીધો અને બીજી બાજુ ગોળાકાર મૂઠ ધરાવતા તાંસળા આકારના વાસણનો ઉપયોગ થાય છે, જે ચીનની દેન છે. ચીનમાં 'વૉક' નામે ઓળખાતા વાસણથી નુડલ્સ, સૂપ સહિતની કોઈ પણ વાનગી બનાવી શકાય છે. દક્ષિણ ભારતના દરિયા કિનારે આજેય માછલી પકડવાની ચાઇનીઝ નેટ અને પદ્ધતિનો ઉપયોગ થાય છે. વિદ્યા પણ ત્યાં સુધી સિલ્ક રૂ થકી આવી હતી. ઝાંગ કિઆનની સાહસિક યાત્રા પછી એશિયા અને યુરોપ એકબીજાની વધુ નજીક આવ્યા અને વેપારની સાથે પ્રચંડ સાંસ્કૃતિક આદાનપ્રદાન પણ થયું. વિશ્વને ચીનની સંસ્કૃતિનો પરિચય આપવા બદલ તેમજ ચીનને વૈશ્વિક સંસ્કૃતિથી પરિચિત કરાવવા બદલ ઝાંગ કિઆન આજેય ચીનના 'નેશનલ હીરો' ગણાય છે.
અનેક દેશોમાં વપરાતું ચાઈનીઝ વૉક નામનું આ વાસણ
દુનિયાભરમાં સિલ્ક રૂટ થકી પહોંચ્યું હતું

ઝાન કિઆન અને તેણે શોધેલા રસ્તાને ‘સિલ્ક રૂટ’ નામ
આપનારા જર્મન વિજ્ઞાની ફર્ડિનાન્ડ વોન રિક્થોફેન  


ઝાંગ કિઆને શોધેલા રૂ થકી ચાઈનીઝ, આરબો, ભારતીયો, સોમાલિયનો, સીરિયનો, ઈરાનિયનો, તૂર્કો, પર્શિયનો, જ્યોર્જિયનો (આજના રશિયન, યુક્રેનિયન), સોગેડિયનો (આજના ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન), ગ્રીકો અને રોમનો (ગ્રીકો-રોમનો જુદા છે) સંપર્કમાં આવ્યા અને પરસ્પર વેપાર કરતા થયા. રસ્તે ચીનના વેપારીઓએ સદીઓ સુધી સિલ્ક એટલે કે રેશમનો ધીકતો ધંધો કર્યો. ઇસ. ૧૮૬૮થી ૧૮૭૨ વચ્ચે જર્મન પ્રવાસી, વિજ્ઞાની અને ભૂગોળવેત્તા ફર્ડિનાન્ડ વોન રિક્થોફેને ચીનની સાત વાર મુલાકાત લઈને સિલ્કના વેપારની ખાસ નોંધ લીધી હતી. રસ્તાને તેમણે જ સૌથી પહેલાં ‘સિલ્ક રૂ નામ આપ્યું હતું. ચીનના લોકો સુરક્ષિત વેપાર માટે અત્યંત સભાન હતા અને એટલે વેપાર માટે સારા માર્ગો શોધવા સાહસયાત્રાઓ કરતા કે ધનદોલત ખર્ચતા ખચકાયા હતા. ચીનની દીવાલ બાંધવાનો એક હેતુ સિલ્ક રૂટનું રક્ષણ કરવાનો પણ હતો. જૂન ૨૦૧૪માં યુનેસ્કોએ મધ્ય ચીનથી મધ્ય એશિયા સુધી જતા પાંચ હજાર કિલોમીટર લાંબા પ્રાચીન સિલ્ક રૂટને 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' જાહેર કરી હતી.

પ્રાચીન સિલ્ક રૂ શોધાયાની સદીઓ પછી, આશરે ૧૫મી સદીની રૂઆતમાં, મિંગ વંશના નૌકાકાફલાના કપ્તાન ઝેંગ હેએ સાત વાર હિંદ મહાસાગરના રસ્તે જુદા જુદા દેશોની મુલાકાત લીધી. ઝેંગ હેએ શ્રીલંકાના ગેલ શહેરની મુલાકાત લીધી. ત્યાં તેણે ચાઈનીઝ, પર્શિયન અને તમિળ ભાષામાં હિંદુ દેવીદેવતાઓને વિનંતી કરતો એક શિલાલેખ કોતરાવીને લખાવ્યું કે, હે ઇશ્વર હું વેપાર-ધંધા થકી એક શાંતિપૂર્ણ વિશ્વનું સર્જન કરવા માંગું છું. મારા પ્રયત્નોમાં મને સાથ આપો... આશરે સદી પહેલાં લખાવેલા શબ્દો આજેય કોલંબો નેશનલ મ્યુઝિયમના અડીખમ શિલાલેખમાં વાંચવા મળે છે.

નાઉ કટ ટુ૨૦૧૭.

ઝેંગ હેની સાહસયાત્રાની સદી પછી ચાઈનીઝ પ્રમુખ શી જિનપિંગ પણ 'વન બેલ્ટ, વન રોડ' યોજના હેઠળ વેપાર-ધંધા વધારીને શાંતિપૂર્ણ વિશ્વનું સર્જન કરવા માગે છે. જિનપિંગની સ્વપ્નિલ યોજના હેઠળ બીજી પણ અનેક વિશાળ યોજનાઓ આકાર લઈ રહી છે. પ્રાચીન સિલ્ક રૂટને પુનઃજીવિત કરવો ચીનની વિદેશ નીતિનો અત્યંત મહત્ત્વનો હિસ્સો છે. યોજના હેઠળ ચીન બાંગ્લાદેશ-ચીન-ભારત-મ્યાંમાર ઇકોનોમિક કોરિડોર, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, ચોંગકિંગ-શિનજિયાંગ-જર્મની રેલવે તેમજ યિવૂ-લંડન રેલવે લાઈન જેવી યોજનાઓ પર કામ કરી રહ્યું છે. ચીન મેરીટાઇમ સિલ્ક રોડ એટલે કે ચોક્કસ દરિયાઇ રૂટનો અમલ કરવા પણ પ્રયત્નશીલ છે. યોજના માટે ચીન વિશ્વના લગભગ બધા દેશોને મનાવવામાં સફળ રહ્યું છે

મલેશિયાના મલાકા શહેરમાં ઊભેલું ઝેંગ હેનું પૂતળું અને બાજુમાં
શ્રીલંકાના ગેલ શહેરમાં તેણે તૈયાર કરાવેલો શાંતિનો શિલાલેખ 

ચીનનું કહેવું છે કે, યોજનાથી યુરેઝિયા (યુરોપ-એશિયા)નો સંયુક્ત વિકાસ થશે, આર્થિક સહકાર વધુ મજબૂત અને ઊંડા બનશે, યોગ્ય રસ્તા બનાવવાથી સમય અને પૈસા બચશેવેપાર ઝડપી બનશે તો રોકાણો પણ ઝડપથી આવશે તેમજ સાંસ્કૃતિક આદાનપ્રદાન વધશે.ચીને બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા) દેશો સાથે મળીને ન્યૂ ડેવપમેન્ટ બેંકની પણ રચના કરી છે, જેના થકી સિલ્ક રોડની યોજનાઓમાં રોકાણની તકો અનેકગણી વધી જશે. સિલ્ક રૂટ મુદ્દે ચર્ચાવિમર્શ કરવા ૧૪-૧૫ મેના રોજ બેજિંગમાં યોજાયેલી ૦થી વધુ દેશની બેઠકમાં ચીને કહ્યું હતું કે, આ રૂટ થકી ચીન શાંતિપૂર્ણ રીતે વિશ્વ વેપાર કરવા માંગે છે અને બીજા લોકોને પણ તેમાં સહભાગી બનાવવા ઈચ્છીએ છીએ. અમે તમામ દેશના સાર્વભૌમત્વનું સન્માન કરીએ છીઅે. ચીને સિલ્ક રૂટના ટુરિઝમ વિશે વિચારવાનું પણ ચાલુ કરી દીધું છે વગેરે... 

જેબ્બાત. ૨૧મી સદીમાં ફક્ત બંદૂકની ગોળીથી રાજ નહીં થઈ શકે વાત ચીનના મોડર્ન ઝાન કિઆન ઉર્ફે શી જિનપિંગ જાણે છે. અત્યારે તો ડ્રેગન આવી ડાહી ડાહી વાત કરી રહ્યો છે, પરંતુ ચીન ક્યારે શું કરશે  કળી શકાય એમ નથી. એવું પણ નથી કે, સિલ્ક રૂટની મદદથી ચીન બીજા દેશોની જમીનો જ પચાવી પાડવા માગે છે, પરંતુ સિલ્ક રૂટ યોજનામાં ચીને લશ્કરી નીતિ પણ સમાવાઈ છે. જેમ કે, ચીને પહેલેથી જ સ્પષ્ટતા કરી હતી કે, પાકિસ્તાનમાં ગ્વાદર બંદર તૈયાર થઈ ગયા પછી અમારો નૌકાકાફલો ત્યાં તૈનાત રહેશે. એટલે જ સિલ્ક રૂટ યોજના ભારત માટે સૌથી વધુ સંવેદનશીલ છે. બીજા કેટલાક દેશો પણ આ યોજનામાં શરતો મૂકીને સાવચેતીથી આગળ વધી રહ્યા છે.  

આપણે ભવિષ્ય જોઈ શકતા નથી પરંતુ ઇતિહાસ પર નજર જરૂર કરી શકીએ છીએ. શ્રીલંકામાં શાંતિનો સંદેશ કોતરાવનારા ઝેંગ હેએ આજના શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મ્યાંમાર અને દક્ષિણ ભારતના દરિયા કિનારે આવેલા સામ્રાજ્યોમાં કઠપૂતળી સરકાર બેસાડવા વંશપરંપરાગત શાસનમાં લશ્કરી હસ્તક્ષેપ કર્યો હતો. ઝેંગ હે 'શાંતિદૂત' હતો પણ તેને ચીનના શાસન હેઠળ શાંતિપૂર્ણ શાસન ખપતું હતું! શ્રીલંકાના સાર્વભૌમત્વના પ્રતીકસમા ભગવાન બુદ્ધનો એક દાંત હાલ ચીન પાસે છે, જે ઝેંગ હે લઈ ગયો હતો. આજના સિલ્ક રૂટથી ચીન સહિત બધા દેશને ફાયદો થવાનો છે વાત ખરી, પરંતુ ચીન સિલ્ક રૂ થકી કોઈ દેશમાં સીધી લશ્કરી દખલગીરી નહીં કરે એવું ખાતરીથી કોઈ કહી શકે એમ નથીહવે આપણે શું કરવું જોઈએ

ઈતિહાસ વિજેતાઓ લખતા હોય છે અને તક દરેકને મળતી હોય છે. આપણે નકલી રાષ્ટ્રવાદ, દંભી સર્વધર્મ સમભાવ અને પાયાથી ખોખલા સમાનતાના અવગુણોને છુપાવવા ડાલ ડાલ પે સોને કી ચીડિયા, મહાન સંસ્કૃતિ, પ્રાચીન જ્ઞાન અને મેરા ભારત મહાનની પિપૂડી વગાડ્યા કરવી છે કે પછી વિજ્ઞાન અને વેપાર ક્ષેત્રે આકાશી ઉડાન ભરવાનું શૌર્ય બતાવવું છે?

જવાબ ફક્ત રાજકારણીઓએ નહીં, આપણે બધાએ આપવાનો છે!